2018 11 29 ધોરણ ૧૨ વાણિજ્ય પ્રવાહ - વાલી મીટીંગ

Date:29 11 2018
Day :Thursday

આજ રોજ શાળામાં વાર્ષિક પરિણામ સુધારણા માટે ધોરણ ૧૨ વાણિજ્ય પ્રવાહના વાલીઓ સાથે વાલી મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમા શાળાના શિક્ષકોએ શાળાની પ્રથમ પરીક્ષામાં નબળો દેખાવ કરનારા વિદ્યાર્થીઓના વાલીઓને  બોર્ડની પરીક્ષા માટે કેવી રીતે તૈયારીઓ કરાવવી, વિદ્યાર્થીઓની તૈયારીઓ પર વાલી કેવી રીતે ધ્યાન આપી શકે કે જેથી તેઓના પરિણામમાં નોંધપાત્ર સુધારો કરી શકાય વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ ચર્ચા માં શાળાના  આચાર્યશ્રી શૈલેંદ્રભાઈ વી પટેલ અને શિક્ષિકાઓ શ્રી પ્રિતીબેન શર્મા, શ્રી તુલસીબેન ટંડેલશિક્ષક શ્રી અજયભાઈ પટેલ તથા શાળાના સુપરવાઈઝરશ્રી રતિલાલ પટેલ એ ઉપરોક્ત વિષયને અનુરૂપ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.   ચર્ચા દરમિયાન વાલીઓના  સૂચનો પણ ધ્યાન પર લેવામાં આવ્યા હતા.  કાર્યક્રમના અંતમાં શાળાના શિક્ષિકાશ્રી ઉર્વશીબેન ચૌધરીએ સૌનો આભાર માન્યો હતો.

એક નજર ક્રમાનુસાર તસવીરો પર....





PLEASE, click below for ....


thanks and do not forget to share from icon given below...