વદ-૬ / મહા/ ૨૦૭૫
Date:25 02 2019Day :Monday
આજ રોજ શાળામાં ધોરણ-૯ માં નબળો દેખાવ
કરનાર વિદ્યાર્થીઓ તથા વાલીઓ સાથે વાલી-મીટીંગ નું આયોજન થયું હતું. જેમાં શાળાના આચાર્યશ્રી
શૈલેંદ્રભાઈ વી. પટેલ, સુપરવાઈઝરશ્રી રતિલાલ પટેલ, શિક્ષિકાઓ શ્રીરીટાબેન, સુમિત્રાબેન તથા મિકીબેન એ વાલીઓને વિષયાનુસાર માર્ગદર્શન પુરું
પાડ્યું હતું, જેથી કરીને આગામી પરીક્ષામાં વિદ્યાર્થી સારું પરિણામ લાવી
શકે. દરેક વાલી પોતાના બાળક પ્રત્યે ઘરે પણ આભ્યાસાર્થે વધુ ધ્યાન આપે, કે જેથી કરીને વિદ્યાર્થી
વાર્ષિક પરીક્ષામાં સારા માર્ક્સ સાથે પાસ થાય. અંતમાં શાળા પરિવારે સૌ વિદ્યાર્થીઓ
ને શુભેચ્છાઓ પાઠવી હતી.
કેટલીક તસવીરો....