Date:04 12 2017
Day :Monday
આજ રોજ નવસારી શહેરમાં “વિશ્વ વિકલાંગ દિવસ” નિમિત્તે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારીના ફુવારા પાસેથી જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કે.એફ.વસાવા એ લીલી ઝંડી બતાવી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીએ ત્યારબાદ ફુવારાથી જૂનાથાણા થઈ નવસારી હાઈસ્કૂલ પાસે વિરામ પામી હતી. સમગ્ર કાર્યક્રમમાં નવસારીની માનવ મંદિર ટ્રસ્ટ સંચાલિત મમતા મંદિર શાળાના દિવ્યાંગ બાળકો અગ્રસ્થાને રહ્યા હતા. ત્યાર બાદ અન્ય શાળાઓના વિદ્યાર્થીઓમાં શાળાના વિદ્યાર્થીઓએ તથા શાળાના શિક્ષકશ્રી અજયભાઈ પટેલે દિવ્યાંગ બાળકોને માટેના પોતાના વિચારો રજૂ કરતા બેનરો સાથે હાજર રહી શાળા તરફથી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.
એક નજર તસવીરો પર...
PLEASE, click below for ....
- To find out video channel of this school, click here and subscribe to this channel
thanks and do not forget to share from icon given below...